રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો જે સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું કરૂણ મોત થયું હતું.
મૂળ બારડોલીના અને હાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહી કાલાવડ રોડ પર આવેલ VVP એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા કલ્પેશ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેણે પોતાને એસીડીટી થયું હોવાનું માની સોડા પીવા ગયો હતો અને સોડા પીધા બાદ પણ કોઈ ફરક નહિ પડતા બાદમાં તેણે પોતાના મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા મદદ માંગી હતી. જે બાદ મિત્રએ 108 મારફત હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ કલ્પેશનું મોત થઈ ગયુ હતુ જેનું હદયરોગના હુમલાથી મોત થયાનું સામે આવ્યું છે.
રાજકોટ સહિત રાજ્ય અને દેશમાં યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવ અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કોરોના પછી વધેલા હાર્ટ એટેકના બનાવો ઉપર રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીમાં ધો.12 માં ભણતી તનિષા ગાંધી નામની વિદ્યાર્થીનીને હૃદયરોગનો હુમલો આવતા તેનું બે દિવસ પહેલા મોત નિપજ્યુ હોવાનો બનાવ બન્યો હતો ત્યાં આજે રાજકોટમાં આજ રીતે કોલેજના વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે જે ચિંતાનો વિષય છે.