રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામી સામે આત્મીય ટ્રસ્ટ સાથે 33.26 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી છે.
ત્યાગવલ્લભ સ્વામી સહિત અન્ય ચાર વ્યક્તિઓ ધર્મેશ જીવાણી, વૈશાખી જીવાણી અને નિલેશ મકવાણા સામે હરિપ્રસાદ સ્વામીના પીએ રહી ચૂકેલા પવિત્ર જાનીએ કર્મચારીઓના બેનામી બેંક ખાતા ખોલી કરોડોની ઉચાપત કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ આણંદના વિદ્યાનગરમાં રહેતા અને સ્વ હરિપ્રસાદ સ્વામીનાં પર્સનલ આસિસ્ટન્ટ રહી ચૂકેલા પવિત્ર જાનીએ નોંધાવેલી ફરિયાદમાં કેટલાક કર્મચારીઓના ભૂતિયા બેંક ખાતા ખોલાવી તેમાંથી રોકડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.
આણંદના વિદ્યાનગરમાં રહેતા અને સ્વ હરિપ્રસાદ સ્વામીનાં પર્સનલ આસિસ્ટન્ટ રહી ચૂકેલા પવિત્ર જાનીએ આ ફરિયાદ કરતા સબંધિત વર્તુળોમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.