રાજકોટ પોલીસ ના ભ્રષ્ટાચાર ના કિસ્સા એકપછી એક બહાર આવી રહયા છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાંચે હત્યા જેવા ગંભીર ગુનામાં આરોપીને પૈસા લઈને બચાવવા માટે કરેલા કાંડ ની વિગતો બહાર આવતા ચકચાર મચી ગઇ છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચ સામે ભ્રષ્ટાચાર ના મામલા બહાર આવી રહયા છે અને ગંભીર આક્ષેપ લાગી રહયા છે ત્યારે આ બધા વચ્ચે બૂટલેગરને હત્યાના કેસમાંથી બચાવવા માટે ક્રાઇમ બ્રાંચે તમામ હદ પાર કરી હોવાની વાતો અગ્રણી મિડિયા હાઉસ માં બહાર આવી રહી છે, મીડિયા રિપોર્ટ માં દાવો કરાયો છે કે આરોપી હત્યા કરવા જે કારમાં ગયો હતો તે કાર ક્રાઇમ બ્રાંચે કબજે કરી છે. પરંતુ હકીકત એ છે કે, એ કાર હત્યાના એક મહિના બાદ ખરીદાયેલી હોવાનું સામે આવ્યું છે, જેના બદલામાં આરોપી પાસેથી પોલીસ ટીમે રૂ.95 લાખ નો તોડ કર્યા ની ચર્ચાઓ છે જે અગ્રીમ મીડિયા માં અહેવાલો બહાર આવતા ભારે ચકચાર મચી છે
મીડિયા રિપોર્ટ માં દાવો કરાયો છે કે થોરાળા વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમુ જુસબ તાયાણીની તા.5 એપ્રિલ 2019ના થોરાળા મેઇન રોડ પર શૌચાલય પાસે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તા.14 એપ્રિલ 2021ના ક્રાઇમ બ્રાંચે અલ્તાફ ઉર્ફે છ આંગળીવાળાની ધરપકડ બતાવી હતી, આરોપી પકડાયા બાદ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપતા આશ્ચર્ય ફેલાયું હતું.
ચર્ચાતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જેબલિયા સહિતની ટીમ તા.8 એપ્રિલ 2021ના જુહાપુરા વિસ્તારમાં પહોંચી હતી અને એક ફ્લેટમાંથી એ જ રાત્રે અલ્તાફને ઝડપી લીધો હતો અને તેને લઇને રાજકોટ ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા હતા, છ દિવસ સુધી અલ્તાફની ધરપકડ કાગળ પર દર્શાવવામાં આવી ન હોવાનું અખબારી અહેવાલ માં કહેવાયું છે.જેતે સમયે માત્ર સેટિંગ ચાલ્યું હતું, તે દરમિયાન એક ઈસમ વર્ના કાર આપી ગયો હતો તે કાર હત્યામાં ઉપયોગમાં લેવાઇ હોવાનું પોલીસે દર્શાવ્યું હતું, ખરેખર પોલીસે જે વર્ના કાર કબજે કરી છે તે કાર 9 એપ્રિલ 2019ના ખરીદ કરવામાં આવી હતી જ્યારે ઇમરાન તાયાણીની હત્યા 5 એપ્રિલ 2019ના થઇ હતી, કોર્ટમાં આરોપીને લાભ મળે તેવા હેતુથી પોલીસે હત્યાની ઘટનાના એક મહિના બાદ ખરીદાયેલી કાર હત્યામાં ઉપયોગમાં લેવાયાનું દર્શાવી આરોપી માટે બચવાનો પ્રયાસ કરાયો હોવાની વાત છે.
પોલીસે જે કાર જપ્ત કરી તે કનુ રાજકોટ આવીને આપી ગયો હતો, જ્યારે પોલીસે આરોપી અલ્તાફને તે કાર સાથે ચોટીલા નજીકથી પકડ્યો તેવું બતાવ્યું હતું, કનુનું મોબાઇલ લોકેશન તપાસાય તો સત્ય બહાર આવે તેમ હોવાનું કહેવાય છે.
અલ્તાફને છ દિવસ ક્રાઇમ બ્રાંચમાં છુપાવી રાખવામાં આવ્યો ત્યાં સુધી સ્થાનિક બૂટલેગર અને ઇંડાંના ધંધાર્થીની ક્રાઇમ બ્રાંચમાં અવરજવર પણ મહત્ત્વનો પુરાવો હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.
અલ્તાફને ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા બાદ પીએસઆઇ સહિતની ટીમે એક પછી એક અલ્તાફના ચિઠ્ઠા ખોલ્યા હતા, તેના લેપટોપમાંથી રૂ.10 થી 12 કરોડના બેનામી હિસાબો મળી આવ્યા હતા, પોલીસે અલ્તાફને ધમકાવીને વધુ તપાસ નહીં કરવા માટે રૂ.3 કરોડ માગ્યા હતા, રકઝકના અંતે અલ્તાફે રૂ.95 લાખ આપવાનું કહેતા પીએસઆઇએ રૂ 1 કરોડ કહેતા અલ્તાફે રૂ.95 લાખ જ થશે તેમ ફાયનલ જણાવી દીધું હોવાની વાતો મીડિયા રિપોર્ટ માં ખુલતા ભારે ચકચાર મચી ગઇ છે.