ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે પતંગ ચગાવી લોકો આનંદ માણશે તો બીજી તરફ અનેક પક્ષીઓના પતંગના કાતિલ દોરીથી મૃત્યુ થશે અને ઘાયલ પણ થશે આવા ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ કામે લાગી છે અને તેઓએ જાહેર જનતાને અપીલ કરી છે કે જો તમારી આસપાસ કોઈપણ જગ્યાએ પતંગના દોરામાં ફસાયેલું અથવા ઘાયલ થયેલું પક્ષી નજરે પડે તો અમને જાણ કરો અમારી ટીમ પહોંચી જશે
આમ સૌરાષ્ટ્રમાં આવા ઘાયલ પક્ષીઓ માટે કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ આગળ આવી છે અને તાત્કાલિક પહોંચી બચાવ કામગીરીમાં લાગી જશે. દર વર્ષે ડ્રોન કેમેરાની મદદથી પણ કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા પક્ષીઓને શોધવામાં આવે છે.
રાજકોટ શહેર-જિલ્લાના કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
–રાજકોટ-8469936128
–લોધીકા-9909305505
–ઉપલેટા-9723410072
–કોટડાસાંગાણી-9099080273
–જેતપુર-9099962062
–ધોરાજી-9426519761
–પડધરી-7990247405
–ગોંડલ-9904600308
–જામકંડોરણા-9925007207
–વીંછિયા-7046250225
–જસદણ-8200965067
આમ જો તમે રાજકોટ જિલ્લાના હોય અને તમારી આસપાસ કોઈ ઘાયલ પક્ષી નજરે પડે તો પ્લીઝ આ ઉપર જણાવેલ નંબર ઉપર કોલ કરજો.