[highlight]એક કરોડ કે તેથી વધુના મુલ્યની સંપત્તિની માહિતી મેળવવા આયકર વિભાગે સબરજીસ્ટ્રારો અને તહેસીલદારો પાસેથી પાછલા ૧૦ વર્ષનો રેકોર્ડ મંગાવ્યોઃ એકલા મુંબઇમાં જ દર વર્ષે ૧ કરોડ કે તેથી વધુના મૂલ્યના ૪પ,૦૦૦ થી પ૦,૦૦૦ જેટલા સોદા થતા હોય છેઃ એક દાયકામાં પ લાખ સોદા થયાનું અનુમાન[/highlight]
મુંબઇ તા.૧૯ : અઘોષિત આવકના મામલાને નિપટયા બાદ આયકર વિભાગે હવે પોતાનુ સમગ્ર ધ્યાન બેનામી સંપત્તિઓની ઓળખ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી દીધુ છે. બેનામી સંપત્તિઓ કાળુ નાણુ છુપાવવાનું સૌથી મોટુ સાધન છે. પરંપરાગત રીતે વેપારી, નેતા, નોકરશાહ અને અંડરવર્લ્ડ પણ પોતાની કાળી કમાણીને ખપાવવા માટે આ રસ્તો અપનાવે છે. મુંબઇ આવકવેરા વિભાગે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ સબરજીસ્ટ્રાર્સ અને તહેસીલદારને છેલ્લા ૧૦ વર્ષમાં નોંધાયેલ એક કરોડ રૂપિયા કે તેથી વધુના મુલ્યની સંપત્તિઓની માહિતી આપવા જણાવ્યુ છે. આયકર વિભાગે બેનામી લેવડ-દેવડ નિયંત્રણ કાનૂન ૧૯૮૮ની કલમ-ર૧(૧) અને ગયા વર્ષે રપ ઓકટોબરે સીબીડીટીના નોટીફીકેશન હેઠળ તેઓને મળેલ અધિકારોનો ઉપયોગ કરતા એપ્રિલ-ર૦૦૭થી આ વર્ષના જુન સુધીમાં થયેલી સંપત્તિઓના સોદાઓની માહિતી માંગી છે. બેનામી લેવડ-દેવડ નિયંત્રણ કાનૂનમાં ગયા વર્ષે વ્યાપક સંશોધન કરવામાં આવ્યા હતા.
મુંબઇમાં કુલ રપ રજીસ્ટ્રેશન કાર્યાલયો છે. જેમાંથી પાંચ શહેરમાં અને ર૦ ઉપનગરોમાં છે. અનુમાન મુજબ મુંબઇમાં દર વર્ષે ૧ કરોડથી વધુના મુલ્યની સંપત્તિના ૪પ,૦૦૦ થી પ૦,૦૦૦ સોદાઓ થતા હોય છે. એક કરોડ રૂપિયાથી વધુના વાસ્તવિક સોદાઓની સંખ્યા ઘણી વધુ હોવાનુ અનુમાન છે પરંતુ મોટાભાગના સોદા રેડ્ડીરેકનર વેલ્યુના આધારે થતા હોય છે. રેડીરેકનર રેટ જે સ્ટેમ્પ ડયુટી અને આવકવેરા ઉદ્દેશો માટે બજાર મૂલ્યના સ્વરૂપમાં સ્વીકારાતો હોય છે.
નિષ્ણાંતોના કહેવા મુજબ મુંબઇમાં એક દાયકામાં ઓછામાં ઓછી પ લાખ એવી સંપત્તિઓની લેવડ-દેવડ થઇ છે જેઓનું મુલ્ય એક કરોડથી વધુ છે. ધ્રુવ એડવાઇઝર્સના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) દિનેશ કાનાબારે કહ્યુ છે કે, આમા કોઇ દોરાઇ નહી કે કાળા નાણાનો વધુમાં વધુ ઉપયોગ રિયલ એસ્ટેટમાં થયો છે અને તેનો મોટો હિસ્સો બેનામી સંપત્તિમાં લાગ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટેકસ અધિકારીઓ સંપત્તિની લેવડ-દેવડ મેળવવામાં વ્યસ્ત છે અને તેથી જ એ જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે આમા કાળા નાણાનો ઉપયોગ થયો છે કે નહી ?
હવે આયકર વિભાગે સબરજીસ્ટ્રાર પાસેથી તમામ પ્રકારના રજીસ્ટર્ડ રજીસ્ટ્રેશનની માહિતી માંગી છે તેમાં ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ, ભાડા હસ્તાંતરણ, વેચાણનું પ્રમાણપત્ર, ફલેટ-ઓફિસના વેચાણ, વિલય-અલગ થવુ, સંપત્તિનું હસ્તાંતરણ, ભેટ, એક કરોડથી વધુના લીઝ એગ્રીમેન્ટ, સંપત્તિ ગીરવે રાખવા પાવર ઓફ એટર્ની, સંપત્તિઓનુ વિભાજન, રિલીઝ ડીડ, લીઝ અને વર્ક કોન્ટ્રાકટનું સ્થાનાન્તરણ વગેરે સામેલ છે. તેમાં એ બધી માહિતી સામેલ છે જેનો ઉપયોગ સંપત્તિના સોદામાં થાય છે તેમાં બેનામી સોદા પણ સામેલ છે. કાનાબાર કહે છે કે આ પ્રકારની તપાસથી બેનામી સંપત્તિના વાસ્તવિક માલિકની જાણ થઇ શકે છે. સંશોધિત બેનામી કાનૂનમાં અધિકારીઓને આ પ્રકારની સંપત્તિને નિપટવવા માટે પુરતા અધિકારો અપાયા છે.
આયકર વિભાગે સાથોસાથ ખરીદનાર અને વેચનારનું નામ, સરનામા, પાન નંબર, લેવડ-દેવડની કિંમત અને બજારભાવ, તેમનુ રજીસ્ટ્રેશન વગેરે પણ જણાવવા પણ કહ્યુ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સબરજીસ્ટ્રાર પાસેથી મળેલી માહિતી રેકોર્ડ સાથે મેળવી અને બેનામી સંપત્તિઓ ધરાવનારાની ઓળખ થશે. ઓનલાઇન ચેકીંગ વધુ ઝડપથી કરવા માટે સબરજીસ્ટ્રાર પાસે માહિતી પેનડ્રાઇવ કે ડીવીડીમાં સોફટ કોપીના સ્વરૂપમાં આપવા જણાવાયુ છે.
નોટબંધી દરમિયાન ર.પ૦ લાખ રૂપિયા જમા કરાવનારને આઇટીની નોટીસ મળવાનું શરૃઃ નાના માણસો ટાર્ગેટ ઉપર
નવી દિલ્હી : નોટબંધી દરમિયાન અઢી લાખ કે તેથી વધુની રકમ બેંક ખાતામાં જમા કરાવનારાને આયકર ખાતા તરફથી નોટીસો મળવાનું શરૂ થયુ છેઃ એકલા સુરતમાં જ ૭ થી ૮ હજાર નોટીસો ઇસ્યુ કરી ૭ દિવસમાં ઓનલાઇન ખુલાસો કરવા જણાવાયુ છેઃ કરદાતાઓ પાસે રૂપિયા કયાંથી આવ્યા તેનો ખુલાસો માંગવામાં આવી રહ્યો છેઃ અગાઉ ૧૦ લાખથી વધુની ડિપોઝીટ જમા કરાવનારને નોટીસ આપવામાં આવી હતીઃ હવે અઢી લાખ જમા કરાવનારાને નોટીસો ફટકારાતા ભારે દેકારો મચી ગયો છેઃ નાના કરદાતાઓને રંજાડવાનો પ્રયાસની ટીકા થઇ રહી છેઃ આઇટી લીમીટ અઢી લાખથી છે એટલે કે આવક હોય અને ખર્ચ બાદ જો અઢી લાખથી ઓછી રકમ બચતી હોય તો ટેકસ ભરવાની જરૂર નથી પરંતુ નોટબંધીમાં અઢી લાખ (કપાત વગર) સુધીની રકમ જમા કરાવનારને નોટીસ આપવામાં આવી રહી છે અને જેણે ચર્ચા જગાવી છેઃ આટલી નાની રકમમાં નોટીસ ઇસ્યુ થાય તે આશ્ચર્ય છેઃ આયકર ખાતુ કહે છે કે જવાબ આવ્યા બાદ વેરીફીકેશન થશે અને જે જવાબ સ્વીકાર્ય હશે તે સ્વીકારાશે અને બાકીના દિલ્હી સ્થિત બોર્ડ સુધી મોકલાશેઃ જો કે આવી નોટીસો જેમને મળી તેઓ ગભરાઇ ગયા છે.