શિવ તાંડવ સ્તોત્રમ: દરરોજ કરો આ શક્તિશાળી સ્તોત્રનો પાઠ, ભોલેબાબા વરસાવશે અખૂટ આશીર્વાદ
સનાતન ધર્મમાં ભગવાન શિવને સંહારના દેવ અને કરુણાના સાગર માનવામાં આવે છે. શિવની આરાધના માટે અનેક મંત્રો અને સ્તોત્રો છે, પરંતુ ‘શિવ તાંડવ સ્તોત્રમ’નું સ્થાન સર્વોપરી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ સ્તોત્રનો લયબદ્ધ પાઠ કરવામાં આવે છે, ત્યારે સ્વયં નટરાજ પ્રસન્ન થઈને ભક્તના જીવનમાંથી અંધકાર દૂર કરે છે.
રાવણ દ્વારા રચિત અજોડ સ્તુતિ
આ સ્તોત્રની રચના લંકાપતિ રાવણ દ્વારા કરવામાં આવી હતી. પૌરાણિક કથા મુજબ, જ્યારે રાવણે અભિમાનમાં આવીને કૈલાશ પર્વતને ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભગવાન શિવે પોતાના અંગૂઠાથી પર્વતને દબાવી દીધો. રાવણનો હાથ પર્વત નીચે દબાઈ ગયો અને પીડાથી કણસતા રાવણે શિવને પ્રસન્ન કરવા માટે સ્થળ પર જ આ સ્તોત્રની રચના કરી. તેની ભક્તિ અને આ સ્તોત્રના પ્રભાવથી મહાદેવ એટલા પ્રસન્ન થયા કે તેમણે રાવણને મુક્ત કર્યો અને તેને અતુલ્ય શક્તિના આશીર્વાદ આપ્યા.
शिव तांडव स्तोत्र (Shiva Tandava Stotram Lyrics)
जटाटवीगलज्जल प्रवाहपावितस्थले।
गलेऽवलम्ब्य लम्बितां भुजंगतुंगमालिकाम्।
डमड्डमड्डमड्डमनिनादवड्डमर्वयं।
चकार चंडतांडवं तनोतु नः शिवः शिवम॥1॥
जटा कटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी।
विलोलवी चिवल्लरी विराजमानमूर्धनि।
धगद्धगद्ध गज्ज्वलल्ललाट पट्टपावके।
किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं ममं॥2॥
धरा धरेंद्र नंदिनी विलास बंधुवंधुर।
स्फुरदृगंत संतति प्रमोद मानमानसे।
कृपाकटा क्षधारणी निरुद्धदुर्धरापदि।
कवचिद्विगम्बरे मनो विनोदमेतु वस्तुनि॥3॥
जटा भुजं गपिंगल स्फुरत्फणामणिप्रभा।
कदंबकुंकुम द्रवप्रलिप्त दिग्वधूमुखे।
मदांध सिंधु रस्फुरत्वगुत्तरीयमेदुरे।
मनो विनोदद्भुतं बिंभर्तु भूतभर्तरि॥4॥
सहस्र लोचन प्रभृत्य शेषलेखशेखर।
प्रसून धूलिधोरणी विधूसरांघ्रिपीठभूः।
भुजंगराज मालया निबद्धजाटजूटकः।
श्रिये चिराय जायतां चकोर बंधुशेखरः॥5॥
ललाट चत्वरज्वलद्धनंजयस्फुरिगभा।
निपीतपंचसायकं निमन्निलिंपनायम्।
सुधा मयुख लेखया विराजमानशेखरं।
महा कपालि संपदे शिरोजयालमस्तू नः॥6॥
कराल भाल पट्टिकाधगद्धगद्धगज्ज्वल।
द्धनंजया धरीकृतप्रचंडपंचसायके।
धराधरेंद्र नंदिनी कुचाग्रचित्रपत्रक।
प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने मतिर्मम॥7॥
नवीन मेघ मंडली निरुद्धदुर्धरस्फुर।
त्कुहु निशीथिनीतमः प्रबंधबंधुकंधरः।
निलिम्पनिर्झरि धरस्तनोतु कृत्ति सिंधुरः।
कलानिधानबंधुरः श्रियं जगंद्धुरंधरः॥8॥
प्रफुल्ल नील पंकज प्रपंचकालिमच्छटा।
विडंबि कंठकंध रारुचि प्रबंधकंधरम्।
स्मरच्छिदं पुरच्छिंद भवच्छिदं मखच्छिदं।
गजच्छिदांधकच्छिदं तमंतकच्छिदं भजे॥9॥
अगर्वसर्वमंगला कलाकदम्बमंजरी।
रसप्रवाह माधुरी विजृंभणा मधुव्रतम्।
स्मरांतकं पुरातकं भावंतकं मखांतकं।
गजांतकांधकांतकं तमंतकांतकं भजे॥10॥
जयत्वदभ्रविभ्रम भ्रमद्भुजंगमस्फुर।
द्धगद्धगद्वि निर्गमत्कराल भाल हव्यवाट्।
धिमिद्धिमिद्धिमि नन्मृदंगतुंगमंगल।
ध्वनिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवः शिवः॥11॥
दृषद्विचित्रतल्पयोर्भुजंग मौक्तिकमस्रजो।
र्गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः।
तृणारविंदचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः।
समं प्रवर्तयन्मनः कदा सदाशिवं भजे॥12॥
कदा निलिंपनिर्झरी निकुजकोटरे वसन्।
विमुक्तदुर्मतिः सदा शिरःस्थमंजलिं वहन्।
विमुक्तलोललोचनो ललामभाललग्नकः।
शिवेति मंत्रमुच्चरन्कदा सुखी भवाम्यहम्॥13॥
निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका।
निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः।
तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं।
परिश्रय परं पदं तदंगजत्विषां चयः॥14॥
प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी।
महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना।
विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः।
शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम्॥15॥
इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तम स्तवं।
पठन्स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति संततम्।
हरे गुरौ सुभक्तिमाशु याति नांयथा गतिं।
विमोहनं हि देहना तु शंकरस्य चिंतनम॥16॥
पूजाऽवसानसमये दशवक्रत्रगीतं।
यः शम्भूपूजनमिदं पठति प्रदोषे।
तस्य स्थिरां रथगजेंद्रतुरंगयुक्तां।
लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः॥17॥
॥ इति शिव तांडव स्तोत्रं संपूर्णम्॥
સ્તોત્રનું આધ્યાત્મિક મહત્વ
શિવ તાંડવ સ્તોત્રમમાં ભગવાન શિવના રૂપ, તેમના જટાજૂટમાંથી વહેતી ગંગા, તેમના ગળામાં બિરાજતા સર્પ અને તેમના ડમરુના નાદનું અદભૂત વર્ણન છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી:
મનને આંતરિક શાંતિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે.
કુંડલિની શક્તિના જાગરણમાં મદદ મળે છે.
નકારાત્મક ઉર્જા, કાલસર્પ દોષ અને પિતૃદોષ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
જે ભક્તો આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છે, તેમને દેવામાંથી મુક્તિ મળે છે.
શિવ તાંડવ સ્તોત્રમના પાઠ માટેના અનિવાર્ય નિયમો
આ સ્તોત્ર અત્યંત શક્તિશાળી હોવાથી તેને યોગ્ય વિધિ અને નિયમ સાથે કરવો જોઈએ:
શુદ્ધતા: સ્તોત્રનો પાઠ કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો (શક્ય હોય તો સફેદ કે લાલ) ધારણ કરવા.
સમય: તેનો પાઠ કરવા માટે ‘બ્રહ્મ મુહૂર્ત’ અથવા સવારનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો સવારે શક્ય ન હોય, તો સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકાય છે.
સ્થાન: ભગવાન શિવની મૂર્તિ, શિવલિંગ અથવા ફોટા સામે બેસીને દીવો પ્રગટાવીને પાઠ કરવો. જો તમે ઉભા રહીને લયબદ્ધ નૃત્ય સાથે પાઠ કરો, તો તે પણ શુભ છે.
સ્પષ્ટ ઉચ્ચારણ: સંસ્કૃત શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ. ઉતાવળમાં પાઠ કરવાને બદલે તેના અર્થ અને ભાવને સમજીને પાઠ કરો. જો તમે સંસ્કૃત ન બોલી શકો, તો તેના ઓડિયો સાંભળીને ધ્યાન ધરવું પણ હિતાવહ છે.
એકાગ્રતા: પાઠ પૂર્ણ કર્યા પછી ઓછામાં ઓછી ૫ મિનિટ સુધી ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરી મહાદેવનું ધ્યાન ધરવું.

