ઘાતક કોરોનાના દક્ષિણ આફ્રિકામાં નવા વેરીએન્ટે હડકંપ મચાવી દીધો છે. જ્યારે બીજી તરફ ભારતના આરોગ્ય મંત્રાલયે રાજ્યોને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સ્ક્રીનિંગ અને પરીક્ષણને વધુ સખ્ત કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિ પર ટોચના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ સ્થિતિમાં વડાપ્રધાનની આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.બેઠકની અંદર કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમ મોદીના અગ્ર સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ વીકે પૉલ આજે કોવિડ-19ની પરિસ્થિતિ અને રસીકરણ પર પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં છે.નવા વેરીએન્ટ ‘B.1.1.1.529’ પર બાજ નજરભારતીય INSACOG કોવિડ-19ના નવા વેરીએન્ટ ‘B.1.1.1.529’ પર બાજ નજર રાખી રહ્યું છે. જો કે, દેશમાં હજુ તેનાથી સંક્રમિત કોઈ કેસ સામે આવ્યો નથી. દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા નવા વેરીએન્ટમાં ‘સ્પાઇક મ્યુટેશન’ના વધુ હોવાની આશંકા છે. દક્ષિણ આફ્રિકાના અધિકારીઓએ ગુરુવારે તેના 22 કેસોની પુષ્ટિ કરી છે. આ ઘટના પર ટિપ્પણી કરતા, INSACOG ના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે B.1.1.1.529 વેરિઅન્ટ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.દક્ષિણ આફ્રિકામાં મેળવવામાં આવેલા કોરોનાના નવા વેરિઅન્ટની વચ્ચે કેટલાક દેશોએ પોતાના-પોતાના દેશની હવાઈ ફ્લાઈટ્સને ફરીથી પ્રતિબંધિત કરી દીધા છે. આ વચ્ચે ભારતમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યા છે અને નવા વેરિઅન્ટના જોખમથી બચવા માટે દક્ષિણ આફ્રિકી દેશથી આવનારા મુસાફરનુ ગહન પરીક્ષણ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કોરોનાનુ નવુ વેરિઅન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસથી કેટલાક ગણા વધારે સંક્રમક છે.
Saturday, May 4