સુરત શહેરમાં દૂષિત અને જીવાત વાળુ પાણી આવી રહ્યાની બુમરાણ ઉઠવા પામી છે, સુરતમાં કેટલાક ઝોનમાં લાલ કલરનું પાણીતો કેટલાક ઝોનમાં પીળા કલરનું પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો છે કારણકે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહયા હોવાછતાં જવાબદાર પાલિકવાળા કોઈ સોલ્યુશન લાવી નથી રહયા.
સુરત શહેરના રાંદેર,ઉધના પાંડેસરા સહિતના વિસ્તારોમાં આ પ્રકારની એકસરખી ફરિયાદ ઉઠવા પામી છે.
સુરત કોર્પોરેશનના અલગ અલગ ઝોનમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોસાયટીઓમાં જોવા મળી રહી છે.
વીયર કમ કૉઝવેમાંથી સુરત શહેરના લોકોને પાણી પહોંચાડવામાં આવે છે અને જ્યારે ઉનાળો શરૂ થાય ત્યારે
ઘણીવાર પાણીનું સ્તર નીચે જતા શહેરમાં દૂષિત પાણી આવી શકે તેવી સ્થિતિ અગાઉ બની છે પરંતુ
આ વખતે એવું નથી કારણકે ઉકાઈ ડેમમાંથી પહેલાં 750 ક્યુસેક અને ત્યારબાદ 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે પરિણામે પાણી પૂરતું છે છતાં પણ જીવાત વાળુ અને કલરયુક્ત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે તપાસનો વિષય છે.
આ માટે તંત્રએ જ સોલ્યુશન લાવવું પડશે અન્યથા પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતાઓ ઉભી થઇ છે.