રાજ્યમાં હાર્ટ એટેકને લઇને અચાનક થઈ રહેલા મોતે આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. જે રીતે હસતા રમતા, યોગા કરતા, બેઠા બેઠા કે રસ્તા પરથી ચાલતા જતા યુવાઓ અને વ્યક્તિઓના શરીરમાંથી સેકન્ડમાં પ્રાણ પંખેરુ ઊડી જાય છે. ત્યારે ફરી પાછી સુરતમાંથી આ જ પ્રકારની ઘટના સામે આવી છે
મળતી જાણકારી અનુસાર, સુરતના હજીરામાં 28 વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોત થયા હતા. 28 વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં અચાનક તબિયત લથડતા મિત્રોને ફોન કર્યો હતો. જે બાદ મિત્રો સ્થળે દોડી આવ્યા અને 108ને જાણ કરાઈ હતી. તો 108ના કર્મચારીએ યુવકને મૃત જાહેર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં બે દિવસ પહેલાંજ આવીજ ઘટનામાં એક યુવાનનું મોત થયું હતું
સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં 42 વર્ષીય પંકજ દોલતભાઈ પટેલ રહે છે. તેઓ પલસાણામાં આવેલા એક મિલમાં કેશિયરની નોકરી કરે છે. તેમના પિતા ઉધના હરિનગર ત્રણ ખાતે રહે છે. ત્યારે પંકજ પટેલ તેમના પિતા દોલતભાઈને મળવા આવ્યા હતા અને મળીને સવારે નોકરી પર જવા પરત થઈ રહ્યા હતા. દરમિયાન ઉધના હરિનગર ત્રણ પાસે બીઆરસી મંદિર પાસે આવેલા રસ્તા પર અચાનક જ ઢળી પડ્યા હતા. રસ્તા પર ચાલતા ચાલતા જઈ રહેલા પંકજભાઈ સેકન્ડની અંદર અચાનક પડી ગયા હતા અને મોતને ભેટ્યા હતા.