ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરવા બદલ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા હતા.
ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હોવાથી તેમને ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઈ જવાયા હતા.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જૂની FIR મામલે તેઓની પૂછપરછ કરવામાં આવી હતી.
ભાજપના કોઈ વ્યક્તિએ મારી સામે ફરિયાદ કરી હતી તેમણે ઉમેર્યું કે, મે ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહમંત્રી વિષે ટિપ્પણી કરી હતી અને મને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે, વિપક્ષ તરીકે સવાલ ઉઠાવવામાં અમારી ફરજ છે ઉઠાવતા રહીશું તેમણે કહ્યું કે, મેં જે નિવેદન કર્યા તેના વીડિયો સોશિયલ મીડિયા પર છે અને અનેક અખબારોમાં છપાયેલી વાત મે કરી છે. જામીનપાત્ર ગુનો હોવાને કારણે મને છોડી દેવામાં આવ્યો છે અને અમે લડતા રહીશું,અમારૂ મનોબળ તોડી શકે નહીં.
આ મામલે અરવિંદ કેજરીવાલનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓએ ટ્વીટ કર્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શનથી ભાજપ એટલો ચોંકી ગયુ છે કે તેણે હવે અમારા ગુજરાતના નેતા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે.
હવે ભાજપનો એક જ ઉદ્દેશ્ય છે કે, આમ આદમી પાર્ટીને કેવી રીતે ખતમ કરવી.
આ લોકો એક પછી એક બધાને જેલમાં નાખશે.