સુરત નજીક કીમ ચાર રસ્તા પાસે સીયાલજ પાટિયા નજીક એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસઅને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 17 જવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. બંધ ટ્રક પાછળ SRP ની બસ ટકરાઈ ગઈ હોવાની વાત છે. અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ચાર જવાનો ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આજે વહેલી સવારે અકસ્માતનીઆ ઘટના બની હતી.વિગતો મુજબ વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની બસના ચાલકે ધૂમસ ના કારણે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ ટકરાઈ હતી.
બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાનીમોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના ની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હોવાનું જાણવા મળ્યું છે.