સુરત માં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેકટની કામગીરી શરૂ થતાં કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. હાલ સુરત મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 સરથાણાથી ડ્રીમ સિટી કોરિડોરનું કામ શરૂ થયું છે. આ કોરિડોરમાં રાજમાર્ગ પર મહિધરપુરા પાસે ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે જાહેર પરિવહન સેવામાં થોડી અસર થશે.
આજે રવિવારથી 8 સિટી બસના રૂટમાં ફેરફાર થશે અને તમામને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આ 8 રૂટ સુરત રેલવે સ્ટેશનને ક્નેકટેડ છે.
સિટી બસના 8 રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેમાં
સુરત રેલ્વે સ્ટેશનથી આભવા ગામ વાયા રીંગરોડ,રેલ્વે સ્ટેશનથી જહાંગીરપુરા વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ,રેલ્વે સ્ટેશનથી ઓલપાડ વાયા રીંગરોડ,રેલ્વે સ્ટેશનથી ખજોદ ગામ વાયા રીંગરોડ,રેલ્વે સ્ટેશનથી યુનિવર્સિટી વાયા રીંગરોડ,રેલ્વે સ્ટેશનથી વરિયાવ ગામ વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ,ગ્રીનસિટી ભાઠાથી રેલ્વે સ્ટેશન વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ઉમરા ગામથી કાપોદ્રા વાયા રીંગરોડ વિસ્તાર નો સમાવેશ થાય છે.