સુરતમાં સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારનાર સિટી બસને લોકોએ આગ ચાંપી દેતાં પોલીસ ખાતું દોડતું થઈ ગયું હતું.
મોડી રાત્રે બસ ની ટક્કર લાગતા ઇજાગ્રસ્ત બનેલા રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે રોષે ભરાયેલા ટોળા એ બસ ને આગ લગાડતા ભારે હોહા અને દોડધામ મચી ગઇ હતી.
પોલીસે બસ ને આગ લગાવનાર 6 જેટલાની વ્યક્તિઓ ની ઓળખ કરી લીધી છે અને તે પૈકી ત્રણ ની અટકાયત પણ કરી છે.ફાયરને કોલ મળતાં ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ સ્થિતિ કાબુ માં લીધી હતી. જોકે આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર-કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે CCTV ફૂટેઝના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
ફાયર વિભાગ ને રાત્રે 9:30 વાગ્યાનો કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોકોનાં ટોળાંએ આખી બસ સળગાવી દીધી હતી. પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી પણ ત્યાં સુધી માં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.