સુરત માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. IPC 504 મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. રાહુલ ગાંધીની જામીન મેળવવાની કામગીરી પણ શરુ કરી દેવાઇ છે.
રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. એમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના આ કેસમાં આજે સુરતની કોર્ટે ચુકાદો આપીને રાહુલ ગાંધીને IPC 504 મુજબ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં કલમ 504 મુજબ 2 વર્ષની સજા થઈ શકે.
સુરત માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. IPC 504 મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. રાહુલ ગાંધીની જામીન મેળવવાની કામગીરી પણ શરુ કરી દેવાઇ છે.
જો કે,કોર્ટ અહીંથી જામીન આપી શકે છે. જો કે હજુ સુધી સજા સંભળાવવાની રાહ જોવા રહી છે.
રાહુલ ગાંધી હાઈકોર્ટ જશે
બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જો કે અમને પૂર્ણ ભરોસો છે કે, હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે.