અમેરિકા સહિત વિશ્વભરમાં હીરા ઉદ્યોગમાં ડિમાન્ડ ઘટતાં તેની અસર સુરત હીરા જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પણ થઈ છે અને માંગ ઘટતાં કેટલાક જ્વેલરી ઉત્પાદકોએ અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાનું શરૂ કર્યું છે.
સુરતમાં 350થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ છે. જે પૈકી કેટલાક જ્વેલર્સ એક્સપોર્ટ પણ કરે છે. મંદીના માહોલમાં ઉત્પાદકો પાસે કામ ઘટ્યું છે. જ્યારે અમુક એકમો પાસે કામ જ નથી, જેથી ઉત્પાદકોએ અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી છે. જ્યારે ઘણી જગ્યાએ કામકાજમાં 2થી 4 કલાકમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
આમ,વિદેશમાં માંગ ઘટતાં તેની અસર સુરતમાં જોવા મળી રહી છે અને કામના કલાકોમાં ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે અઠવાડિયામાં બે રજા કરવામાં આવી છે.