તમને કદાચ આ ઘટના યાદ હોય તો કે 6 નવેમ્બર 2016ના રોજ કરજણ ટોલ નાકાની આગળ રાત્રે 08.30 કલાકે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં સુરતના 9 વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં માતાએ 28 વર્ષનો છોકરો અને 26 વર્ષની પુત્રવધુ ગુમાવ્યાં હતાં. માતા અંદરથી સાવ તૂટી ગઇ હતી. ઘટનાના માત્ર છ મહિના બાદ દીકરીએ IVF વિશે જાણ્યું અને કંઇ પણ વિચાર કર્યાં વગર ઘરમાં જઇને માતા-પિતાને કહી દીધું કે ‘આ ઘરમાં ભાઇ ફરીથી આવશે.’ બસ, પછી તો ગેહલોત પરિવારમાં ફરીથી આશાનો જન્મ થયો.
કોલેજના એક સેમિનારમાં દીકરી મનીષાએ આઈવીએફ ટ્રીટમેન્ટ વિષે જાણ્યું . દીકરીની વાત સાંભળી માતાએ શક્યતા નકારી કાઢી હતી
ત્યારબાદ તેના પિતાએ હિંમત આપીને પ્રયત્ન કરવા કહ્યું અને ડોક્ટરની ટ્રીટમેન્ટથી પ્રથમ પ્રયત્ને જ મળી સફળતા મળી.
ગાયનેકોલોજીસ્ટ પુજા નાદકર્ણીએ ડણાવ્યું હતું કે સામાન્ય રીતે 50 વર્ષથી નાની મહિલાઓ ટેસ્ટ ટ્યુબની સારવાર માટે આવતી હોય છે. જ્યારે મધુબેન અમારી પાસે આવ્યા ત્યારે મને પણ થોડું આશ્ચર્ય થયું. એમની વાત સાંભળીને મેં પણ નક્કી કર્યું કે હું આ કેસમાં મારા 100 ટકા પ્રયાસ કરી. મધુબેનનું હૃદય, બી.પી, ડાયાબિટિસ બધુ જ નોર્મલ હતું, ત્યાર બાદ ટ્રીટમેન્ટ શરૂ કરી અને પહેલી ટ્રાયે સફળતા મળી.