મહેશ સવાણી આમ આદમી પાર્ટી છોડ્યા પછી સુરત ખાતે શહેર કોર્પોરેશનના સભ્યોને મળવા પહોંચ્યા ત્યારે આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમએ મહેશ સવાણીની મુલાકાત લીધી.આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી અને સુરત શહેરના પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમનાં નેતૃત્વમાં કોર્પોરેટરોની મુલાકાત કરી હતી. આપની કોર્પોરેટર યુવતીઓ આ સમયે ખુબ રડી પડી હતી અને પક્ષ નહિ છોડવા વિનંતી કરી હતી. એક કોર્પોરેટર તો આ સમયે તેમના પગે પડી અને પક્ષ ન છોડવા આજીજી કરી હતી. કોર્પોરેટર વિપુલ સુહાગીયા રચના શોભના કેવડીયા હિરપરા પાયલ સાકરિયા મોનાલી હિરપરા અશોક ધામી સહિતની કાર્યકર્તાઓની ટીમ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીને મળવા પહોંચ્યાં હતા. આમ આદમી પાર્ટી ન છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.સૌ સાથે મળીને પરિવર્તનની લડાઈ લડવાની હાંકલ કરવા માટે આમ આદમી પાર્ટી કાર્યકર્તા ટીમ મહેશ સવાણીને મળી હતી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝાટકો લાગ્યો છે.ઉદ્યોગપતિ મહેશ સવાણી અને સમાજ સેવકએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી. સુરતના પ્રખ્યાત સમાજસેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડી પત્રકાર પરિષદ કરી હતી.મહેશ સવાણીએ પોતાના નિવેદનમાં જણાવતા કહ્યું કે આપમાં જોડાવાથી તેઓ પરિવારને સમય આપી શકતા નથી.સમાજ સેવા માટે સમય મળતો નથી.મેં પહેલા જણાવ્યું હતું કે રાજનીતિમા આવી સારી એવી સેવા કરીશ.હોદ્દાનો મને કોઈ રસ નથી.હું સેવાનો માણસ છું.રાજનીતિનો માણસ નથી.મહેશ સવાણીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું સેવા કરવાનો મોકો મળે તે માટે ક્યાં જોડાવું તે સમય પ્રમાણે નક્કી કરીશ.આમ મહેશ સવાણી રાજીખુશીથી આમ આદમી પાર્ટી છોડી છે.
ગુજરાતમાં આજે સવારે આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ઝાટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા.ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. એ પછી આમ આદમી પાર્ટીનાં નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાયા હતા.આમ એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને ત્રીજો મોટ્ટો ફટકો પડ્યો છે.મહેશ સવાણી જૂન 2021માં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સુરતની મુલાકાત વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ‘આપ’નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં આક્રોશ આવી ગયો હતો.’આપ’માં જોડાયા બાદ મહેશ સવાણીએ નિવેદનમાં કહ્યું હતું કે મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. રાજકારણમાં ગુજરાતનું કામ કરવા આવી રહ્યો છું. મને સત્તાધીશો હેરાન કરશે અનેક લોકોએ તેવું કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે ભલે મારે જેલમાં જવું પડશે ભલે બે-બે ગોળી મને મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે.
સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી છે. મૂળ તેઓ ભાવનગર જિલ્લાના રાપરડા ગામના વતની અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ એજ્યુકેશન રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે તેઓ સંકળાયેલા છે.2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી.મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તે મોટા પાયે આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે.