સ્કુલ વાન અને બસમાં બાળકોને જાનવરની જેમ ભરવામાં આવે છે અને ગણી વખત વાન ચાલકોને એટલી બધી ઉતાવળ હોય છે કે તેઓ બેફામ રસ્તા પર વાન ચલાવતા હોય છે. સુરતના અડાજણમાં પણ આજ રોજ આવી એક ઘટના બનવા પામી હતી, જેમ વાન ચાલકની બેદરકારીથી બાળક ઈજાગ્રસ્ત થયો હતો. જો કે બાળકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે અડાજણ વિસ્તારમાં મારુતી કોમ્પ્વલેક્ષમાં વાન ચાલકે બાળકને પાર્કિગમાં ઉતાર્યા બાદ બેફામ રીતે વળાંક લેતા બાળક વાન નીચે કચડાઈ ગયું હતું. તે છતા પણ વાન ચલકે પોતાની વાન ઉભી ન રાખી અને બંને ટાયર બાળક પરથી પસાર થઈ ગયા હતા અને બાળક ખુબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. આજુબાજુના લોકો દોડી આવતા વાન ચાલક બહાર નીકળી બાળકને જોવા માટે આવ્યો હતો. લોકોએ હંગામો મચાવતા તેણે દવાખાનાનો ખર્ચ આપી દેવા જણાવ્યું હતું. બાળકના માતા પિતાએ આ ઘટના અંગે ફીયાદ નોંધાવીને વાન ચાલકનું લાયસન્સ રદ કરી દેવા માંગ કરી છે.