: નવસારી (Navsari) જિલ્લામાં રવિવારે વધુ 18 કેસ વધતા જિલ્લામાં કુલ કેસનો આંકડો 481 પર પહોંચ્યો છે. જ્યારે આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. નવસારી જિલ્લામાં કોરોના (Corona Virus/ Covid-19) ના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. છતાં પણ લોકો સોશ્યિલ ડિસ્ટનસિંગ (Social Distancing) નું પાલન કરી રહ્યા નથી. હાલ તહેવારોની સિઝન (festival season) ચાલી રહી છે. શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે. જેથી લોકો પૂજા કરવા માટે મંદિરોમાં જઇ રહ્યા છે. પરંતુ ત્યાં પણ લોકો સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરવાનું ચુકી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લા તંત્ર લોકોને કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. પરંતુ કોઈ નક્કર કામગીરી કરી રહ્યા નથી.
તહેવારોમાં ધાર્મિક વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરવામાં આવતી હોવાથી લોકોની લાંબી લાઈનો લાગી રહી હોય છે. તેમજ લોકો સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવ્યા વિના જ પૂજા કરી રહ્યા છે. જેથી કોરોનાનો ચેપ લાગવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ જિલ્લા તંત્ર ધાર્મિક સ્થળોએ લોકોની લાઈનો ન લાગે તે માટે ધાર્મિક ગુરૂઓ સાથે ચર્ચા વિચારણા કરી સરકારની ગાઈડ લાઈન (Government’s guideline) નો અમલ થાય તે માટેની કામગીરી હાથ ધરે એ જરૂરી બન્યું છે.
નવસારી જિલ્લામાં રવિવારે 18 કેસો નોંધાયા છે. જેમાં નવસારીમાં 10, ગણદેવીમાં 4, ચીખલી અને બીલીમોરામાં 2-2 કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 481 કેસો કોરોના પોઝીટીવના નોંધાયા છે. જ્યારે આજે 11 દર્દીઓ સાજા થતા કુલ 302 દર્દીઓએ કોરોનાને માત આપી છે. પરંતુ આજે નવસારીના જયશંકર પાર્ટી પ્લોટ રાશિ હિલમાં રહેતા આધેડનું મોત નિપજતા કુલ 38 લોકોના મોત નિપજ્યા છે.