સુરત : જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે..આજે નવા 102 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 5867 નોંધાઈ છે. બારડોલીમાં સૌથી વધુ કોરોનાના 21 કોરોનાના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જો કે નવા 77 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા અપાઈ છે. જિલ્લામાં આજે નવા 427 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરાતા લોકોમાં ભયનો ફેલાયો છે. જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 966 નોંધાઈ છે. જિલ્લામાં આજે બારડોલીના 78 વર્ષના પુરુષ અને માંગરોળના 45 વર્ષના પુરુષનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.
જિલ્લામાં નોંધાયેલા કેસ –
ચોર્યાસી – 23
ઓલપાડ – 14
કામરેજ – 15
પલસાણા- 21
બારડોલી – 17
મહુવા – 3
માંડવી – 4
માંગરોળ – 9