કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે લોકોમાં ભયનો માહોલ જેવા મળી રહ્યો છે. સુરત શહેરમાં કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મંગળવારે કોરોનામાં પૂર્વ નગર સેવક ઉર્મિલાબેન રાણાનું મોત નિપજ્યું હતું. હવે સુરત જિલ્લા વિકાસ અધિકારીના પી.એ. પઢીયારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચવા પામ્યો છે. હાલ જિલ્લા વિકાસ અધિકારીના પી.એ સહિત તેમના પણ સમગ્ર પરીવારને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી હસમુખભાઈ ચૌધરીની તબિયત લથડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.