24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10,600ને પાર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં નોંધાયેલા કોરોનાના કુલ 10,672 કેસ પૈકી 6613 દર્દી સાજા થઈ ચૂક્યાં છે. જેમાં શહેરના 5637 અને જિલ્લાના 976 દર્દીનો સમાવેશ થાય છે. રવિવારે શહેરમાં 191 અને જિલ્લામાં 31 મળી કુલ 222 દર્દી કોરોના મુક્ત થયા હતા.
જોકે સુરતમાં હીરા ઉદ્યોગ માટે પણ કોરોના ઘાતક સાબિત થયો છે. ગત 20 દિવસમાં 3 વેપારી, 7 હીરા દલાલ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે. આમ કુલ 12 ધંધાર્થીના કોરોનાથી મોત થયા છે.
સુરતમાં કોરોનાના અત્યારે વધુ 97 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 89 અને ગ્રામ્યમાં 8 કેસ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં કોરોનાનો આંકડો 10,672 એ પહોંચી ગયો છે.