દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં (Samras Hostel) કોવિડ કેર સેન્ટર ઊભુ કરાયા બાદ હજ્જારો દર્દીઓને સારા કરવામાં આવ્યા છે. માર્ચ-૨૦ થી સમરસ હોસ્ટેલને સરકારી કવોરોન્ટાઈન સેન્ટર (Quarantine Center) તરીકે શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ તા.૨૩મી એપ્રિલ કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સમરસ હોસ્ટેલમાં 2782 દર્દીઓ પૈકી 2465 દર્દી સાજા થઇને ઘરે પહોંચ્યા હોવાની માહિતી મળી છે. દર્દીઓ સાજા (Patient Recover) થઈ હેમખેમ પોતાના ઘરે હસતા હસતા જાય તેવા અવિરત પ્રયાસો આ કોરોના વોરીયર્સ કરી રહ્યા છે. જે 2465 દર્દી સાજા થઇને ઘરે પહોંચ્યા છે તેમાં ૧૮૨૬ પુરૂષ દર્દીઓ તથા ૬૩૯ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ૨૦૦ દર્દીઓને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ -સુરત ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલ ૧૮૬ દર્દીઓ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. આ સેન્ટર ખાતે ૬૦૦ જેટલા બેડની ક્ષમતા હોવાનું નોડલ અધિકારી વી.કે.સાંબડે દ્વારા જણાવાયું છે.
નોડલ ઓફિસર વી.કે.સાબડ જણાવે છે કે, ૧૫ ડોકટર્સ, ૧૮ નર્સ, ૧૪ પેરામેડિકલ સ્ટાફ, ૪૦ વોર્ડ બોય/સફાઈ કર્મચારી સહિત કુલ ૮૭ જેટલા કોરોના વોરીયર્સ દિન-રાત ફરજ બજાવી રહ્યા છે. માર્ચ-૨૦ થી સમરસ હોસ્ટેલને સરકારી કવોરોન્ટાઈન સેન્ટર તરીકે શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ તા.૨૩મી એપ્રિલ કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સમરસ સેન્ટર ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જ ડો.નિલમ દવેએ જ કે, અહીં આવતા દર્દીઓને એલોપથી તથા ફીઝીશ્યન ડોકટરો દ્વારા દિવસમાં બે વાર તથા અન્ય ડાયબિટીસ, બીપી જેવા રોગ ધરાવતા દર્દીઓને ચાર વાર ચેકઅપ કરવામાં આવે છે. કોવિડ કેર સેન્ટર ખાતે જે દર્દીઓ સ્વસ્થ થયા બાદ અન્ય કોરોનાપીડિત દર્દીઓ કે, જે ગંભીર હાલતમાં છે તેઓને મદદ કરવા માટે પ્લાઝમા ડોનેટ માટે પણ પ્રેરિત કરવામાં આવે છે જેમાં ૯૫ ટકાં દર્દીઓ પોતાનું લોહી ડોનેટ કરવા માટે સહમતી દર્શાવી છે.