ભારત(India) સહિત વિશ્વભરમા(World) કોરોનાની મહામારી ફેલાઇ છે અને હવે જે રીતે શક્યતાઓ વધી રહી છે તે જોતા કોરોના સાથેજ લોકોને જીવતા શીખવુ પડશે. સુરતના ઉદ્યોગકારોએ(industrialist’s) આ પરિસ્થિતિને તકમાં ફેરવી લીધી છે. સુરતના ઉદ્યોગકારો પીપીઇ કિટ અને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યા બાદ હવે એન્ટિબેક્ટિરિયલ ફેબ્રિક(febric) બનાવી રહ્યા છે. જેના પરથી તૈયાર થયેલી સાડી(Sari), ડ્રેસ(Dress) મટિરિયલ્સ, દુપટ્ટા અને કુર્તીનું ઉત્પાદન શરૂ કર્યુ છે. કાપડ ઉદ્યોગકારનો દાવો છે કે આ વસ્ત્ર પહેરવાથી કોરોનાનો સંક્રમણથી રક્ષણ મળે છે. હાલ કોરોનાની પરિસ્થિતિમાં આ પ્રકારની સાડી, ડ્રેસ અને કુર્તીની ડિમાંડ થઇ રહી હતી જેને અનુલક્ષી આરએન્ડડી થકી આ કંપનીએ કોરોના વાયરસ કાપડમાં ટકી ન શકે તેવી ટેક્નોલોજી વિકસાવી તેના સેમ્પલ ભારત સરકારની માન્ય લેબોરેટરીમાં મોકલતા સેમ્પલ માપદંડ પર ખરા ઉતર્યા હતા.
પ્રારંભિક સ્તરે કંપની દ્વારા તેનુ ઉત્પાદન શરૂ કરવામા આવ્યુ છે. ટેક્સટાઇલ ઉદ્યોગના નિષ્ણાંત સુભાષ ધવને જણાવ્યું હતું કે સુરતમાં કોરોના સંક્રમણ પછી ઉદ્યોગકારોએ પીપીઇ કિટ, માસ્ક, સેનેટાઇઝરનું ઉત્પાદન શરૂ કર્યુ છે. ડબલ્યુએચઓ દ્વારા પણ તાજેતરમાં કોરોનાની સ્થિતિને કેન્દ્રમાં રાખી ટેક્સટાઇલ પ્રોડક્ટનો એક્સપોર્ટ કરતા દેશોને એન્ટિબેકટેરિયલ કાપડ બનાવવાની અપીલ કરી હતી. તે પછી સુરતની કંપનીએ આ દિશામાં રિસર્ચ શરૂ કર્યુ હતુ. આ પ્રકારનનુ કાપડ પહેર્યા પછી કોઇ પણ પ્રકારની ગભારામણ થતી નથી. રક્તપ્રવાહ પણ સામાન્ય રહે છે.
તે ઉપરાંત આ ફેબ્રિક્સની પ્રોસેસિંગમાં ખાસ પ્રકારનું કેમિકલ નાખવામાં આવે છે. જેનાથી બેક્ટેરિયાની અસર નહીવત થાય છે. કાપડની સ્પીનિગ, વીવિંગ અને પ્રોસેસિંગ સુરતમાંજ કરવામાં આવે છે. તેની કિમત પણ સામાન્ય સાડી કે ડ્રેસ કરતા પાંચથી સાત ટકાજ વધુ છે. આ કાપડ 50 વાર પહેરેતો પણ બગડતુ નથી,હાલ દેશમાં જે રીતે કોરોનાનો માહોલ છે અને લોકો કોરોનાથી ગભરાયા છે તેના લીધે અન્ય રાજ્યોના વેપારીઓ આ તકને વેપારમાં ફેરવી લેવા માટે આવી સાડી અને ડ્રેસ મટીરિયલ્સની ડિમાંડ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં એક્સપોર્ટ સ્તરે પણ તેની ડિમાંડ નીકળે તેવી શક્યતા છે.