કોરોના વાયરસ અંગેની જાણકારી સુરત શહેરની નર્સિંગ સ્ટાફને મળી રહે તે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સેમિનાર યોજવામાં આવશે. ભારતમાં ચીનનો ઘાતક વાયરસ કોરોના પ્રવેશ્યો હોવાની શક્યતા છે. આ વાઇરસ અંગે સુરત શહેરની નર્સિંગ સ્ટાફની જાણકારી મળે અને આગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં આગામી તારીખ 6 ફેબ્રુઆરીના રોજ 10:00 વાગ્યે ઓડીટોરીયમ હોલમાં સેમિનાર યોજાશે. આ સેમિનારમાં નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને શહેરની ખાનગી હોસ્પિટલ, તેમજ નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેશે. જો કે દર્દીને સારવાર આપવામાં મુખ્ય રોલ નર્સિંગ સ્ટાફનો હોય છે તે માટે તેમને માર્ગદર્શન રાજ્યના માજી હેલ્થ ડાયરેક્ટર ડોક્ટર વિકાસબેન દેસાઈ, મેડિસિન, માઇક્રોબાયોલોજી અને પીએસએમ વિભાગના સહયોગથી આયોજન કરવામાં આવ્યુ હોવાનું નસિંગ એસોસિએશનના દક્ષિણ ગુજરાતના ઝોનલ દિનેશભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.
Saturday, April 27