કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે વધુ 251 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 150 જયારે ગ્રામીણ વિસ્તારમાં (Rural Area) 101 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 23862 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 861 પર પહોંચ્યો છે, તેવામાં આજે 238 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા (Returned home) છે. સેન્ટ્રલ ઝોન 09, વરાછા એ ઝોનમાં 12, વરાછા બી 2 08, રાંદેર ઝોન 28, કતારગામ ઝોનમાં 19, લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 13 અને અથવા ઝોનમાં 50 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્ર્મણ પરમાણુ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે
કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 251 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 150 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 18308 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 101 કેસ સાથે દર્દી સંખ્યા 5554 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 23862 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 861 થયો છે. જેમાંથી 219 મૃત્યુ જિલ્લાના છે અને 642 શહેર વિસ્તારના છે. શુક્રવારે નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે સંકલાયેલા 12 લોકો ચપેટમાં આવ્યા હતા. જેમાં કાપડના 3 વ્યાપારી, 1 સાડીના વ્યાપારી, ટેક્સટાઈલ માર્કેટમાં 2 વ્યાપારી ઉપરાંત ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય 6 લોકો એમ કુલ 12 લોકો ચપેટમાં આવ્યા હતા. તેમજ જિલ્લા પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, લૂમ્સ અને ફૂડના વ્યાપારી, સ્મીમેરના નર્સ, ઈન્કમટેક્સ ઓફિસર, અડાજણની ખાનગી કંપનીના વર્કર પણ કોરોનામાં સપડાયા હતા. તેમજ શુક્રવારે મનપા દ્વારા વિવિધ સંસ્થાઓમાં કેશિયર-એકાઉન્ટન્ટનું ટેસ્ટિંગ કર્યું હતું. મનપાના વિવિધ ઝોનમાં કુલ 1190 કેશિયર-એકાઉન્ટન્ટના રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 10 એકાઉન્ટન્ટ પોઝિટિવ મળી આવ્યા હતા.