ગણેશ ઉત્સવ મનાવવામાં મુંબઈ બાદ બીજા નંબરે આવતા સુરતનો ગણેશોત્સવ આ વખતે સાદાઈથી ઉજવાશે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતીએ (Ganesh Utsav Committee) મ્યુનિ.કમિ., પો.કમિ. તેમજ કલેકટર સાથે મીટિંગ કર્યા બાદ ગણેશોત્સવ (Ganesh Utsav)સાદાઈથી ઉજવવાની જાહેરાત કરી છે. જેના માટે સમિતીએ ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જેની મુખ્ય વાત એ છે કે શહેરમાં આ વખતે ફક્ત 1 કે 2 ફૂટની ગણેશ પ્રતિમાઓની સ્થાપના થશે. એટલું જ નહીં આ વખતે મંડપ બાંધવામાં આવશે નહીં પણ ઘરે જ ગણેશ સ્થાપના કરવાની રહેશે. આ સાથે કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં નહીં આવે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સુરતમાં ગણેશ ઉત્સવને (Ganesh Utsav) લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણેશ ઉત્સવ સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે કે, માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરવી. ગણેશ ઉત્સવમાં વધારે ભીડ કરવી નહીં. એટલું જ નહીં, પૂજા અર્ચના કરતી વખતે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવું અને સેવા કાર્ય કરવું.ગણેશોત્સવમાં સુરત શહેરમાં આ મહામારી વધુ નહી પ્રસરે તે ચિંતા સાથે સુરત શહેર ગણેશ ઉત્સવ સંત સમિતિના (Ganesh Utsav Committee) અધ્યક્ષ સ્વામી અંબરીશાનંદજી, મહામંત્રી સિતારામદાસજી અને વિશ્વેશ્વરાનંદજી, પ્રમુખ અનિલ બિસ્કીટવાલા સહિતના હોદેદારોઓએ ઉજવણીના ભાગરૂપે મ્યુનિ.કમિ., કલેકટર તેમજ પો.કમિ. સાથે રૂબરૂ મુલાકાત કરી ચર્ચા વિચારણા કર્યા બાદ ગાઈડલાઈન જાહેર કરી છે.
સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતીએ આ અંગેની ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જેમાં સાર્વજનિક ગણેશોત્સવને બદલે ઘરમાં જ ગણેશજીની સ્થાપના કરવા માટે અપીલ કરાઈ છે. સુરત શહેર આખાની લાગણી ગણેશોત્સવ સાથે જોડાયેલી છે ત્યારે આ વખતે ગણેશોત્સવ દરમ્યાન તંત્રની પણ મોટી કસોટી થશે. જો લોકો સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો ગણેશોત્સવ કોરોનાના સંક્રમણ માટે મોટું પ્લેટફોર્મ બની રહે તેમ છે.પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના કરવા દેવામાં આવશે નહી તેમજ જાહેર રોડ પર સ્થાપના ન કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે તેમ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છ
મૂર્તિ વિસર્જનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે, મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવું. આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે કે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના ન કરવી. જાહેર રોડ પર સ્થાપના ન કરવી. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.