ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા ડોક્ટરોએ હર હંમેશ દર્દીઓની સેવામાં હાજર હોય છે. રાજ્યના ડોક્ટરોએ “કોરોનાથી ડરવાનું નથી પણ તેમની સામે પડતાની સાથે સેવા કાર્યોમાં પણ આગળ પડતા રહે છે. મોટા વરાછા મેડિકલ અસોસિએશનના 70 ડોક્ટરોએ પ્લાઝમા અને રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી.
મોટા વરાછા મેડિકલ અસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. યોગેશ વાઘાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઈ છે. ત્યારે અસોસિએશનના તબીબોએ ઝુંબેશ ઉપાડીને દર્દીઓ માટે પ્લાઝમા પુરુ પાડવાનું બીડું ઉપાડ્યું છે.