સુરતમાં કોંગ્રેસના અગ્રણી અને ભાજપના કાર્યકર સહિત ત્રણની વિરુદ્વ ખંડણીની ફરીયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા વોયવૃદ્વ મુસ્લિમે ફરીયાદ કરી છે. પોલીસે ફરીયાદના અનુસંધાનમાં તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે સલાબતપુર, જૂનીઈદગાહ ખાતે રહેતા 80 વર્ષના ઈસ્માઈલ વાડીવાલા નામાના વયોવૃદ્વે નોંધાવેલી ફરીયાદ અનુસાર ઝાંપાબજારમાં રહેતા ઝહુર કુરૈશી, નાનપુરામાં રહેતા ચેતન માછી અને ગુજરાત કોંગ્રેસના મંત્રી તથા રાંદેર વિસ્તારમાં રહેત ફિરોઝ મલેકે ઈસ્માઈલ વાડીવાળા પાસેથી બે લાખ રૂપિયા લઈ લીધા હતા અને બીજા 10 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.
ત્રણેય જણાએ ટોળકી બનાવી ઈસ્માઈલ વાડીવાળાના ઘરમાં ધુસી જઈ તેમની દિકરી સલમાને ધાક-ધમકી આપી હતી. પોલીસે આ અંગે ઈપીકો કલમ 384,385,452,506(2),120-બી,114 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના દોઢ વર્ષના ગાળામાં બની હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.