આજે ગણેશ વિસર્જનના દિવસે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના પગલે ગણેશ વિસર્જનમાં વિલંબ થયો હતો. જોકે, અત્યાર સુધીમાં કૃત્રિમ તળાવમાં નાની-મોટી 28 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. ગણેશ વિસર્જનને લઈને ઓવરા અને રસ્તા પર 8899 પોલીસ 5ર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન ભાગળ ચાર રસ્તા ઉપર મોટી પ્રતિમાને લઈ આયોજકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો થાળે પાડ્યો હતો.
મોટી મૂર્તિઓ ડુમસના કાદી ઓવારા, મોટી બજાર નાવિક કલબ ઓવારા તેમજ ભીમપોરના બસ સ્ટેન્ડ પાસેના ઓવારા અને હજીરાના ઓવારા પર વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોને રૂટ પ્રમાણે વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે સચીન અને સચીન જીઆઈડીસી વિસ્તારની મૂર્તિઓ નવસારી મિઢોળા નદીમાં વિસર્જન કરવામાં આવી રહી છે. જેમાં નવસારી પોલીસની સાથે સુરત પોલીસ પણ તૈનાત રહી છે. શહેરમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં 26 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે.
ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા પહેલાં જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જેમાં આયોજકો દ્વારા વિસર્જન માટેની પરમિશન લીધી હતી. જેને પગલે મોટા મૂર્તિઓ લઈને આયોજકો રાત્રે જ નીકળી ગયા હતા. અને પોલીસે આપેલી પરમિશન પ્રમાણે ફાળવવામાં આવેલા ઓવારા પર પહોંચી વિસર્જન કરવામાં આવી રહ્યું છે.