સુરતના અડાજણ ખાતે આવેલા સરદાર બ્રિજ પરથી આજ રોજ એક યુવતીએ છલાંગ લગાવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સ્થાનિક લોકો અને માછીમારો દ્વારા યુવતીઓ બચાવ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણએ આજ રોજ સરદાર બ્રિજ પરથી 20 વર્ષની એક યુવતીએ છલાંગ લગાવીને આત્મહત્યાની કોશિશ કરી હતી. પણ ત્યાના લોકો દ્વારા તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જો કે યુવતીનું કૂદકો મારવાનું કારણ હજી અકબંધ છે. હાલ યુવતીને 108 માં સારવાર માટે રવાના કરવામાં આવી છે. હવે પોલીસ તપાસ બાદ જ આ ઘટનાના કારણ વિશે વધુ માહિતી મેળવી શકાશે.