સુરતની સેશન્સ કોર્ટે નારાયણ સાંઈ સામેના કેસમાં 26મી એપ્રિલ 2019ના રોજ ચુકાદો આપ્યો હતો. જેમાં સુરતની સાધિકા પર દુષ્કર્મના કેસમાં સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને દોષિત ઠેરવ્યા છે.
સગી બે બહેનો દ્વારા નારાયણ સાંઈ અને તેના પિતા આશારામ પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સુરત સેશન્સ કોર્ટે આ મામલે ફરિયાદીના 53 અને બચાવપક્ષના 12 સાક્ષીઓના નિવેદન લીધા હતા. તેમજ આ કેસમાં કુલ 3 હજાર પાનાના દસ્તાવેજો પણ કોર્ટે ચકાસ્યા હતા. છ વર્ષ સુધી લાંબી ટ્રાયલ બાદ કોર્ટે નારાયણ સાંઈ વિરુધ્ધ ચુકાદો આપ્યો હતો.
સાથે જ કોર્ટે સાંઈની સાધિકા ગંગા, જમુના, રાજકુમાર અને હનુમાનને પણ દોષિત જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસે નારાયણ સાંઈ સામે ગુનો નોંધ્યો હતો. 4 ડિસેમ્બર 2013ના હરિયાણાના કુરુક્ષેત્રમાંથી દિલ્લી પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કરી હતી.