સુરતમાં જે વિસ્તારોમાં પોઝીટીવ (positive) કેસો આવી રહ્યા છે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. અને તે વિસ્તારોના લોકોને ફરજીયાત હોમ કોરેન્ટાઈન રહેવાનો આદેશ પણ આપવામાં આવી રહ્યો છે. જેને પગલે સુરતમાં માત્ર ઘર પુરતુ જ આ નિયમ લાગુ કરવામાં આવે તે માટે ઘણી રજુઆતો પણ કરવામાં આવી રહી છે. અનને તે માટે હવે આજે માનદરવાજા ટેનામેન્ટવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પણ કરવામાં આવશે.
કોવિડ-19 ના કારણે 22 માર્ચથી સતત લોકડાઉનની પરિસ્થિતિના કારણે ગરીબ-મધ્યમવર્ગ પરિવારો આર્થિક, માનસિક અને શારીરિક રીતે નબળા થયેલા લોકોને ઘણી અગવડતા પડી રહી છે. હાલમાંં સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19 ના પોઝિટીવ કેસ ધરાવતા વિસ્તારને ક્લસ્ટર જાહેર કરી ફરજિયાત હોમ કોરોન્ટાઈલ (home quarantine) રહેવાના જાહેરનામા વિરુદ્ધ બંદી (કોરોન્ટાઈલ) મુક્ત કરવા માટે માન દરવાજા (maan darwaja) ટેનામેન્ટવાસીઓ “આશ્ચર્યજનક કાર્યક્રમ” કરાશે. સુરતમાં એકબાજુ કેસો વધી રહ્યા છે અને બીજી બાજુ આવા કાર્યક્રમો તંત્રની ચિંતા વધારી રહ્યા છે.