સુરતના કરંજ વિધાનસભા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા છે. સીતારામ, હરિધામ, વિવેકાનંદ, સોસાયટીઓમાં ઠેર ઠેર ભાજપ વિરોધી બેનરો લાગ્યા છે. વારંવાર ઉભરાતી ગટરો, પાણી, ડોર ટુ ડોર કચરાની સમસ્યા, રોડ રસ્તા, જેવી પ્રાથમિક સમસ્યાઓથી ગ્રામજનો ત્રસ્ત થઇ ગયા છે.
ગ્રામજનો કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરશે. સમસ્યાનો નિકાલ કરવામાં નહિ આવે ત્યાં સુધી આ વિસ્તારની સોસાયટીઓમાં ભાજપના નેતાઓએ મતની ભીખ માંગવા આવવું નહિ. આ શબ્દોનો બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.