ધર્મીસ્થા બ્રહ્મભટ્ટ સત્ય ન્યુઝ – સુરત,
સુરતમાં ગત રોજ ધોડદોડ રોડ વિસ્તારમાં સવારના સમયે એક સ્કૂલ વાનમાં અચાનક જ મોટી આગ સળગી ઉઠી હતી.જેમાં ત્રણ જેટલા વિધાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.જ્યાં ત્રણે વિધાર્થીઓને સારવાર સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે ઉમરા પોલીસે આગ ક્યાં કારણોસર અને કોની બેદરકારીના કારણે લાગી હતી તે દિશામાં તપાસ શરૂ કરી હતી.તપાસ દરમ્યાન પોલીસે શિક્ષણીય મનુષ્ય વધ હેઠળ ડ્રાઈવર સામે 308 કલમ મુજબ ગુનો નોંધ્યો છે.સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે ,વાનમાં ગેસ લીકેજની ગંધ વાનમાં બેઠેલા વિધાર્થીઓને આવી હતી. છતાં પણ વાન ડ્રાઈવર વિષ્ણુએ ગાડી ઉભી રાખી ના હતી.ત્યાં આગ લાગી હતી જેથી ડ્રાઈવર સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.