સુરતમાં આજ રોજ કરમચેદ થાયર ગૃપની કોર્પોરેટ સોસઇયલ રિસપોન્સિબિલિટી શાખા કેસિટી ગૃપ દ્વારા ફક્ત એક જ વર્ષમાં તેની ત્રીજી અતિઆધુનિક કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓફ લર્નિંગ , લાઈવલીફુડ એન્ડ રિસર્ચ લેબોરેટરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જશચરઉછેરના સ્થાયી વિકાસ માટે હંમેશાથી કટીબદ્ધ રહેનારી આ લેબ જળચરોનો ઉછેર કરનારા ખેડૂતો માટે અનુકુળ વાતાવરણ રચવાની મથામણ તરફ કેસીટી ગૃપની પહેલ છે.
વર્ષ 2018 માં હસ્તાક્ષર કરવામાં આવેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ મારફતે કેસીટી ગૃપ ટ્રસ્ટ અને આઈસીએઆર-સીઆઈબીએ ખારા પાણીમાં જળચરોના ઉછેર માટેના સહયોગી નોલેજ પ્રોગ્રામ માટે હાથ મિલાવ્યો હતો. આઈસીએઆર-સીઆઈબી એ દેશમાં ખારા પાણીમાં જળચરોનો ઉછેર કરવા માટેની નોડલ એજન્સી હોવાથી આ સહભાગીદારી એક સમર્પિત એક્વેટિક એનિમલ હેલ્થ એન્ડ એન્વાર્યમેન્ટ લેબોરેટરી મારફતે ખેડૂતો હીતધારકોને પરીક્ષણની ગુણવત્તાયુક્ત સેવાઓ અને ટેકનિકલ મદદ પુરી પાડશે. આ સહભાગીદારી એક્વાફાર્મર્સ અને ભારત સરકારની આ પ્રકારની અન્ય યોજનાઓ માટે સોઈલ વોટર હેલ્થ કાર્ડસજારી કરવાની સમસ્યાને પણ ઉકેલશે