સુરત (Surat) સહિત સમગ્ર જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં વરસાદે ધૂંઆધાર બેટિંગ કરી હતી. જેમાં ઉમરપાડામાં સર્વાધિક પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે માંડવી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના (weather department) જણાવ્યા મુજબ, લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન રાજસ્થાન તરફ મુવ થઈ છે. જેને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હવે ઘટતું જશે. વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટાછવાયા વરસાદ નોંધાશે. આ સિવાય આગામી 26 તારીખે વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ જવાની સંભાવના છે. આ સિવાય હાલ બંગાળની ખાડી અને અરબ સાગરમાં અન્ય કોઈપણ સિસ્ટમ સક્રિય થવા માટેની આબોહવાકીય હલનચલન જોવા મળી નથી. એટલે કે ઓગસ્ટ મહિનાના અંત બાદ ધીમે ધીમે ચોમાસું નબળું પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વિતેલા ચોવીસ કલાકની વાત કરીએ તો રાત્રે જિલ્લામાં સર્વત્ર વરસાદે ધબધબાટી બોલાવી હતી. જોકે દિવસના સવારે વરસાદ વરસ્યા બાદ સાંજે સૂર્યનારાયણે તડકો પાથર્યો હતો.
- વિતેલા ચોવીસ કલાકમાં તાલુકાઓમાં પડેલો વરસાદ
- બારડોલી 74
- ચોર્યાસી 57
- કામરેજ 78
- મહુવા 17
- માંડવી 70
- માંગરોળ 51
- ઓલપાડ 37
- પલસાણા 43
- સુરત 74
- ઉમરપાડા 114
રાજ્યમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, પરિણામે સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તેવામાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં વધુ એક લો -પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે, જેને પગલે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર- ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન ખાતાના સૂત્રોની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેને પગલે એનડીઆરએફની બચાવ ટુકડીઓને એલર્ટ કરવામાં આવી છે. મોરબીમાં ભારે વરસાદને પગલે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ધોળકામાં પાણીમાં ફસાયેલા ૧૦૦થી વધુ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને મોકલવામાં આવી છે.
આમ આગામી 26 તારીખે વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ જવાની સંભાવના છે. આ સિવાય હાલ બંગાળની ખાડી અને અરબ સાગરમાં અન્ય કોઈપણ સિસ્ટમ સક્રિય થવા માટેની આબોહવાકીય હલનચલન જોવા મળી નથી. એટલે કે ઓગસ્ટ મહિનાના અંત બાદ ધીમે ધીમે ચોમાસું નબળું પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.