લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને સુકાઇ ગયેલું ઘાસ કાપવું પડશે. જોકે, આ કામ માટે નારાયણ સાંઇને ત્રણ મહિના સુધી વેતન નહીં મળે. ઘાસ કાપવાનું કામ શીખી ગયા પછી તેને રોજ 70 રૂપિયા મળશે.
ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, સાથે જ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સાથે જ સાધ્વી ગંગા, જમુના અને સાધક હનુમાનને 10 વર્ષની સજા જ્યારે રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત પીડિતાને પાંચ લાખનું વળતળ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો.