વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત રહેતા કાકાને પેશાબની તકલીફ ઉભી થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તેમના જરૂરી રિપોર્ટ કર્યા બાદ તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.
15 વર્ષથી સુરતમાં રહે છે
પાલ અડાજણ વિસ્તારમાં આવેલી રૂદ્રા રેસિડેન્સીમાં કાંતિલાલ મૂળચંદદાસ મોદી(નરેન્દ્ર મોદીના કાકા)(ઉ.વ.81) એકના એક દીકરા સાથે 15 વર્ષથી રહે છે. પરંતુ થોડા દિવસો અગાઉ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈની પત્નીનું અવસાન થયા બાદ કાંતિલાલ અંતિમ વિધિ માટે ત્યાં ગયાં હતાં. જ્યાં તેમને પેશાબનો પ્રોબ્લેમ થતાં સારવાર અર્થે સુરત સિવિલ લાવવામાં આવ્યાં હતાં. કાંતિલાલભાઈનું સુગર લેવલ 223, પ્રેશર 150 હોવાનું રિપોર્ટમાં આવ્યું છે.
મોદીના કાકા હોવાનું કોઈને કહેતા નથી
સામાન્ય જિંદગી જીવતાં કાંતિલાલ મોદીએ જણાવ્યું હતું કે, અમે અમારી સોસાયટીમાં પણ નથી કહેતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારો ભત્રીજો છે. અમે સામાન્ય જિંદગી જીવીએ છીએ. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અવાર નવાર મળવાનું થતું પરંતુ વડાપ્રધાન બન્યા પછી ઓછું મળવાનું થાય છે તેમ કહેતા કાંતિંલાલે ઉમેર્યું હતું કે, દિલ્હીમાં એકવાર મળવા ગયો હતો.
નિવૃત જીવન જીવે છે
કાંતિલાલ મૂળચંદદાસ મોદી નિવૃત આચાર્ય છે. દીકરો સુરત રહેતો હોવાથી નોકરી બાદ દીકરા સાથે સુરત રહેવા આવી ગયાં છે. હાલ સિતેર વર્ષની આસપાસની ઉંમર છે. ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ સહિત તબીબો હાલ કાંતિલાલની સારવાર કરી રહ્યાં છે.