- સુરત રેલવે સ્ટેશન પરથી દોડતી તમામ શ્રમિક ટ્રેનોને આજથી બંધ કરાઈ છે. કોઈ પણ શ્રમિક ટ્રેન હવે પછી દોડાવવામાં આવશે નહીં. સુરત (Surat) કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઓડિશાની ગત રોજ 3 ટ્રેન રદ કરાઈ હતી. જો કે પશ્ચિમ બંગાળ માટેની ટ્રેન ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે. આ અગાઉ શુક્રવારે મુસાફરોના અભાવે 7 ટ્રેન રદ કરાઈ હતી. તે પહેલા 10 ટ્રેનો પણ આ રીતે કેન્સલ કરાઈ હતી. સુરતમાં શનિવારે મોડી સાંજે પણ બીજા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ શનિવારે કુલ 59 પોઝિટિવ કેસ નોંધાયા છે.
Sunday, April 28