ગુજરાત સરકાર દ્વારા જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રીતે ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારની ફી લઇ શકાશે નહીં તેવી જાહેરાત કર્યા બાદ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચલક મંડળે પલટવાર કરીને રાજ્યની તમામ શાળાઓમાં આવતીકાલથી અવાસ્તવિક ગણાતું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરાવી દીધું છે. જે અંતર્ગત આજથી ચોવીસ કલાક મોબાઈલની સામે આંખો ફોડતા સુરતના ચારલાખથી વધારે બાળકોને ઓનલાઈન એજ્યુકેશનમાંથી મુક્તિ મળી ગઈ છે. સરકાર અને સંચાલકોના વિવાદ વચ્ચે બાળકો સહિત વાલીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
સુરતની શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન સાથે આજથી એડમિશન પ્રક્રિયા પણ બંધ
કોરોનાની મહામારી અને ફી માફીના કકળાટ વચ્ચે વાલીઓ અને શાળા સંચાલકો આમને સામને આવી ગયા હતા. આજે હાઈકોર્ટ દ્વારા શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉધરાવવાનો નિર્ણય કરાતા શાળા સંચાલકો વિફર્યા હતા. હાઈકોર્ટના નિર્ણયને અમાનવીય ગણાવીને સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે 22 જૂલાઈથી અવાસ્તવિક ગણાતા એવા ઓનલાઈન એજ્યુક્શનને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી હાઈકોર્ટ પોતાનો નિર્ણય પરત નહીં ખેંચે ત્યાં સુધી શહેરની તમામ શાળાઓમાં શૈક્ષણિક તેમજ વહીંવટી કાર્ય બંધ રહેશે. આ તમામ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની ખાનગી શાળાઓ પર શિક્ષણ વિભાગનો કોઈ કાબૂ જ નથી. સુરતની 1200 થી વધારે પ્રાઈવેટ શાળાઓના 4.5 લાખથી વધારે બાળકો શાળાઓએ આપેલા ટેબ્લેટ પર જ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા હતા. શાળા સંચાલકોના આ નિર્ણયથી કોરોના બાદ રાગે પડેલું ઓનલાઈન એજ્યુકેશન ફરી એક વખત ખોરવાશે.
સરકારના એક નિર્ણયે શાળાઓની દશા-દીશા પલટાવી વાખી -દિપક રાજગુરુ
સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજગુરુએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનવાથી શાળાઓ આર્થિક સંકટમાં છે. અત્યાર સુધી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી ૨હયું હતું. સક્ષમ ગણાતા એવા વાલીઓએ પણ ફી ભરી નથી, તે છતા શાળાઓએ સ્વ ખર્ચે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું હતું અને જેમ-તેમ કરીને શિક્ષકો અને સ્ટાફને પગાર આપીને સરકારને સહયોગ આપ્યો હતો. તે છતાં પણ જો સરકાર એવું કહેતી હોય કે ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી તો પછી અમે શા માટે બાળકોને અવાસ્તવિક શિક્ષણ આપીયે. ઓનલાઈન એજ્યુકેશન બંધ થવાથી વાલીઓ અને બાળકોને તો રાહત મળી છે પણ શિક્ષકો અને કર્મચારીઓનું શું? સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ગુજરાત સરકારના આ નિર્ણયને સંપૂર્ણ રીતે વખોડ્યો છે.