સુરતની નવી સિવિલમાં (New Civil, Surat) આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપમાં (oxygen pipe) પ્રેશરના કારણે વાલ્વ છૂટી ગયો હતો અને એક કર્મચારીની આંખમાં વાગતા તેને ટ્રોમા સેન્ટરમાં (trauma center) સારવાર આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરમાં કોરોના કાળ દરમિયાન જ્યારે કેસોની સંખ્યા બમણી થઇ ગઇ ત્યારે નવી કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક ફીટ કરવામાં આવી હતી. તમામ દર્દીઓને ઑક્સિજન સપ્લાયમળી રહે તે માટે નાની પાઇપ વડે ઑક્સિજન અપાઇ રહ્યો હતો. બીજી તરફ શુક્રવારે સાંજના સમયે ઓક્સિજન ટેંકનો કર્મચારી અસ્ફાક સલીમ શેખ કામ કરી રહ્યો હતો અને પાઇપલાઇન ચેક કરતો હતો ત્યારે જ એક પાઇપમાં પ્રેશર વધી ગયુ હતુ. અસ્ફાક વાલ્વ છોડવા માટે ગયો કે તરંત જ વાલ્વ છૂટી ગયો હતો અને સીધો જ પ્રેશરના કારણે આંખ ઉપર વાગ્યો હતો. મોટા અવાજ સાથે વાલ્વ ભટકાતા ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઇજાગ્રસ્ત અસ્ફાકને તાત્કાલીક ટ્રોમા સેન્ટરમાં લઇ જવાયો હતો અને ત્યાં સારવાર આપવામાં આવી હતી. જો કે, કોઇ દુર્ઘટના થાય તે પહેલા જ અન્ય સ્ટાફે તાત્કાલીક કામગીરી કરીને પાઇપલાઇનનું રીપેરીંગ કરી નાંખ્યુ હતુ.
જણાવી દઇએ કે બે દિવસ પહેલા વડોદરાની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital, Vadodara) ના પહેલા માળે આવેલા કોવીડ આઇસીયુમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. આ અગાઉ અમદાવાદમાં આગનો ભયંકર કિસ્સો બની ચૂકયો છે, જેમાં 9 લોકોનો ભોગ લેવાયો હતો. રાજ્યમાં આ બીજી ઘટના છે જ્યારે આઈસીયુમાં આગ લાગવાના સમાચારો સામે આવ્યા છે. અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં પણ આવી ઘટના સામે આવી હતી જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ હતા, હોસ્પિટલ (Shrey hospital, Navrangpura, Ahmedabad) માં આગની દુર્ઘટના (fire mishappen) બની હતી. જેમાં 9 જેટલા દર્દીઓના ભડથુ થઈ જવાથી મોત નિપજયા હતા. ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ (Takshshila Fire Accident, Surat) માં પણ ગત વર્ષે આ જ રીતે 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાય ગયા હતા. સયાજી હોસ્પિટલમાં જે રીતે કોવિડ આઈસીયુમાં આગ લાગી હતી તેનો એક વીડિયો વાયરલ પણ થયો હતો.