અલ્પેશ કથિરીયાને સુરતમાં રાજદ્રોહના ગુનામાં જેલ મુકત કરાયા બાદ આજ રોજ ધાર્મિક માલવિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 9 ડિસેમ્બર સોમવારે અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કર્યા બાદ સુરતમાં ત્રિદિવસીય સંકલ્પયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં અનામતની માંગ સાથે લાજપોર જેલથી લઈને વરાછા સુધી રેલી યોજાશે. આ રેલીમાં અલ્પેશ કથિરીયા સાથે હજારો પાટીદારો જોડાશે. આ ઉપરાંત અનમાતની માંગ સાથે બીજી બે રેલી ખોડલધામ અને ઉમિયાધામમાં યોજાશે.
1)પ્રથમ રેલી
તારીખ – 9 ડિસેમ્બર, 2018
રુટ – લાજપોર જેલ- ભેસ્તાન-ઉધના-રીંગરોડ- ખોડિયાર મંદીર-સ્ટેશન- ઉમિયા મંદીર-મિનીબજાર- સરદાર પ્રતિમા- વરાછા રોડ- બરોડાપ્રિસ્ટેજ-હીરાબાગ- સીતાનગર-પુણાગામ- કારગીલ ચોક-યોગી ચોક- સિમાડા-સવજી કોરાટ બ્રિજ- સુદામા ચોકમાં સમાપન
2) બીજી રેલી
તારીખ- 10 ડિસેમ્બર,2018
રુટ- સુરત સરથાણા વિમાન સર્કલથી કાગવડ ખોડલધામ સમાપન
3) ત્રીજી રેલી-
તારીખ – 11 ડિસેમ્બર ,2018
રુટ – ખોડલધામથી ઉંઝા ઉમિયાધામ સુધી રવાના , માતાના આશીર્વાદ લઈ રવાના