કોરોના મહામારી વચ્ચ પણ શાળા સંચાલકોએ વાલીઓને હેરાન કરવાનો એતક પણ રસ્તો બાકી રાખ્યો નથી. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શિક્ષણથી નંતિત ન રહી જાય તે માટે આરટીઈ હેઠળ શરૂ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં પણ સંચાલતો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આરટીઈ પ્રવેશના પ્રથમ રાઉન્ડની જાહેરાત થયા બાદ પ્રવેસ લેવા જતા વાલીઓ પાસે એડમિડ કાર્ડ સિવાયના પણ અન્ય દસ્તાવેજો માંગી પ્રવેશ ન આપવીને હેરાનગતી કરવામાં આવે છે. સુરત વાલીમંડળ દ્વારા શાળાઓની દાદાગીરી અંગે સુરત ડીઈઓને ઈ-મેઈલ મારફતે આવેદનપત્ર આપીને શાળા વિરુદ્ધ યોગ્ય પગલા લેવા માંગ કરી છે.
આરટીઈ હેઠળ શરૂ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રીયામાં પ્રવેશ ફોર્મ ભરવાની મુદ્દત પુરી થતા વાલીઓને 19 સપ્ટેમ્બર સુધીમાં જે-તે શાળામાં પ્રવેશ લેવા અંગે સુચન કરવામાં આવ્યું છે. વાલીઓ એડમિટ કાર્ડ બતાવીને પ્રવેશ લઈ શકે છે. પરંતું શાળાઓ દ્વારા એડમિટ કાર્ડ સિવાય અન્ય દસ્તાવેજોની માંગણી કરીને પ્રવેશ ન આપીને વાલીઓને હેરાન કરી રહ્યા છે. કાયદાને નેવે મૂકીને શાળા દ્વારા વાસીઓને કરવામાં આવતી હેરાનગચિ અંગે સુરત વાલીમંડળ દ્વારા ડીઈઓને કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.