કોરોનાની મહામારી વચ્ચે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેનો ફી બાબતનો વિવાદ હજી પણ અટક્યો નથી. છેલ્લા 5 મહીનાથી શાળાઓ સંપૂર્ણ રીતે બંધ છે. શાળાઓમાં હજી વાસ્તવિક શિક્ષણ ક્યારે શરૂ થાય તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી શાળાઓનો અમુક ખર્ચ હજી થયો નથી. ઘણી શાળાઓ દ્વારા શષિક્ષકોના પગારમાં 50 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે, જે આરટીઈ એક્ટ મુજબ ફી ના 80 ટકા ગણાય છે. આથી સ્વનિર્ભર શાળા સંચાલકોને કોઈ પણ પ્રકારનું નુકસાન વેછવું પડ્યું નથી. આ સંજોગોમાં વાલીઓ પાસેથી આખા વર્ષ દરમિયાનની ફી લેવી યોગ્ય નથી. સુરત વાલીમંડળ દ્વારા 50 ટકા ફી માફીની માંગ સાતે આજે ડીઈઓ કચેેરી રજૂઆત કરવામાં આવી હતી.
સુરત વાલીમંડળે ફી માં 50 ટકાનો કાપ મુકવાની રજૂઆત કરી છે. આ રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી જેવા સમયમાં પણ સ્વનિર્ભર શાળાઓ નફાખોરી કરી રહી છે. 2017 પહેલા આવી તમામ શાળાઓ પાસે સરપ્લસ ફંડ હતું અને એફઆરસી આવ્યા બાદ પણ 15 ટકા સુધી ફી વધારો આપવામાં આવ્યો છે. આ તમામ સ્થિતિને જોતા વાલીઓને ફી માં 50 ટકા ઘટાડો આપવો વ્યાજબી છે. આ ઉપરાંત વાલીઓને 2021 માર્ચ સુધીમાં ફીા ભરવાની છૂટ આપવામાં આવે અને ફી ના કારણે કોઈ પણ બાળકોનો પ્રવેશ કે શૈક્ષણિક કાર્ય અટકે નહીં તેવી માંગણી સાથે શાળાઓના નફાખોરી ન કરી શકે તે માટે શાળાઓના ઓડીટ રિપોર્ટ શાળાની વેબસાઈટ, નોટીસ બોર્ડ તેમજ એફઆરસીમાં જમા કરાવેલા તમામ દસ્તાવેજો વાલી સમક્ષ રજૂ કરવા માંગ કરી છે.