શહેરમાં છલ્લા ત્રણ-ચાર દિવસથી ફરીથી પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી મનપા કમિશનર (Municipal Commissioner) બંછાનિધિ પાનીએ શહેરીજનોને ખાસ કાળજી રાખવા વિનંતી કરી હતી. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. હાલમાં શહેરમાં રીકવરી રેટ (Recovery Rate) 90 ટકા ઉપર છે તેમજ મૃત્યુદર ઘટીને 2.5 ટકા થયો છે. હાલમાં પરિસ્થિતિ વ્યવસ્થિત છે. પરંતુ શહેરીજનો કાળજી રાખે તે પણ જરૂરી છે. ઘણા દેશોમાં કોવિડની સેકન્ડ વેવ આવી રહી છે. જેથી જ્યાં સુધી વેક્સીન (Vaccine) ના આવે ત્યાં સુધી તમામ લોકોએ સંયમ રાખવો જરૂરી છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.
વધુમાં મનપા કમિશનરે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન પરિસ્થિતિ એ છે કે, શહેરમાં બહારથી આવનારા લોકોમાં પોઝિટિવીટી રેટ વધ્યો છે રેલવે સ્ટેશન પર 3 ટકા પોઝીટીવીટી રેટ નોંધાયો છે. તેમજ તમામ ટોલનાકા પર પણ પોઝિટીવીટી રેટ વધ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન પર 19,394 લોકોના ટેસ્ટ કરાતા 380 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ બહારના રાજ્યોમાંથી આવનારા લોકોમાં પલસાણાથી મહારાષ્ટ્રથી કે અન્ય રાજ્યમાંથી આવનારા લોકોમાં 55,048 લોકોના ટેસ્ટ કરાતા તે પૈકી 81 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. અત્યારે સુરત શહેરમાં અંદર કરતા બહારના લોકો આવે છે તે વધારે પોઝિટિવ મળી રહ્યા છે. હાલમાં 1,34,000 લેબર સુરત શહેરમાં રીટર્ન થયા છે. તેમાં દરરોજ ટેસ્ટીગ થાય છે. બહારના રાજ્યોમાંથી જે લેબર આવી રહ્યા છે. જેમા ખાસ કરીને યુપી, બિહારથી આવી રહ્યા છે.જેથી મજુરો કામ પર રાખે ત્યારે એસ.ઓ.પી નું પાલન કરે તે જરૂરી.છે. અને મનપાની એસ.ઓ.પી નું પાલન ન થાય તો મનપા દ્વારા ગંભીર પ્રકારના એક્શન લેવાશે તેમ મનપા કમિશનરે સુચના આપી હતી. મજુરોને ખાસ સાત દિવસ કોરેન્ટાઈન રાખવા તેમ મનપા કમિશનરે સુચના આપી હતી.