સુરત શહેરમાં નકલી કિન્નરોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે જયારે કેટલાક બની બેઠેલા નકલી કિન્નરોના લીધે સાચા કિન્નરોને પણ આજે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે.હાલમાં જ ગોડાદરા વિસ્તારમાં આવેલ માનસરોવર સોસાયટીમાં રાજસ્થાની પરિવારના ઘરે પુત્રનો જન્મ થતા દાપું ઉઘરાવવા માટે કિન્નરો આવ્યા હતા ત્યારબાદ દાપું ની રકમ મુદ્દે રકઝક થતા કિન્નરોએ પરિવારના મોભીનું માથું દરવાજા સાથે અથડાવ્યુ હતું જેથી યુવકનું બે દિવસની સારવાર બાદ મોત થયું હતું.
રાજસ્થાની યુવકના આ રીતના મોતથી સમગ્ર શહેરમાં અને ખાસ કરીને મારવાડી સમાજમાં કિન્નરો પ્રત્યે રોષ ફેલાયો છે ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં હવે કિન્નરોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે વેપારીઓ ઘ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી કિન્નરોને માર્કેટમાં પ્રવેશવા દેવા નહિ અને દાપું પણ આપવું નહીં.