સુરતનાં સરથાણા વિસ્તારમાં ગઇકાલે એટલે રવિવારે રાતે BRTSનાં ટ્રેક પર જતી એસટીની બસે 52 વર્ષનાં નરસિંહભાઇ ભીમજીભાઇ ચાવડાને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે રવિવારે રાતે સાડાનવ વાગ્યાની આસપાસ નરસિંહભાઇ ચાવડા બીઆરટીએસનાં ટ્રેક પરથી રસ્તો ઓળંગી રહ્યાં હતાં. તે જ સમયે ત્યાંથી એક એસટીની બસ બીઆરટીએસનાં ટ્રેકમાંથી જતી હતી.પૂરપાટ જતી એસટીની બસે આધેડને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.