સુરતમાં ઓક્સિજનની અછતના પગલે સરકારી હોસ્પિટલોમાં પણ હવે નવા કેસોને એડમિશન નથી આપવામાં આવી રહ્યું. ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તો મુખ્ય દ્વાર બંધ કરી સિક્યોરિટી સ્ટાફ સહિત બાઉન્સરો ગોઠવી દેવામાં આવ્યા છે. જ્યાં સામાન્ય વ્યક્તિને હોસ્પિટલ કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.જ્યારે નવા કેસોને પણ હાલ લેવામાં નથી આવી રહ્યા.આજે પણ ઓક્સિજનની અછતના નવા કેસ લેવાની મનાઈ. સ્મીમેર હોસ્પિટલ ખાતે માત્ર ગંભીર પ્રકારના દર્દીઓને લેવામાં આવી રહ્યા છે જ્યારે અન્ય દર્દીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન વપરાશમાં કાપ..ગત રોજ માત્ર 153 મેટ્રિક તન ખાનગી હોસ્પિટલોને પુર પાડવામાં આવ્યો.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાઉન્સર મૂકી દેવામાં આવ્યા. નવી સિવિલ હોસ્પિટલ ખાતે થતી લોકોની ભીડ રોકવા પણ બાઉન્સરની મદદ પીપલોદની કોવિડ હોસ્પિટલમાંથી લાવવામાં આવેલ કોવિડના દર્દીની એમ્બ્યુલન્સને પણ નવી સિવિલ હોસ્પિટલ બહાર રોકી દેવા દેવામાં આવી હતી.આ અંગે એમ્બ્યુલન્સ આ ચાલક અને ડોક્ટરે જણાવ્યું હતું કે,એમ્બ્યુલન્સને બહાર જ રોકી દેવામાં આવી છે.સિક્યોરિટી સ્ટાફ તરફથી જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાથી મંજૂરી મળ્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે. બાદમાં હોસ્પિટલના અધિકારી જોડે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એમ્બ્યુલન્સને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
Monday, May 6