સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની તેમજ વિશેષ અધિકારી એમ. થેનારાશને શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી. મનપા કમિશનરે જણાવ્યું કે સુરતનો પોઝિટિવિટી રેટ હાલ ઘટી ગયો છે. બીજી લહેર બાદ સર્જાયેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો તેની પાછળ સર્વેલન્સની કામગીરી મુખ્ય છે તેમણે કહ્યું કે હાલ સુરતમાં બારસો વેન્ટિલેટર તેમજ 5 હજાર ઓક્સિજન બેડ છે. બીજી તરફ ઓએસડી એમ. થેનારાશને લોકોને વધુમાં વધુ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોરોના પર કાબૂ મેળવવા રેગ્યુલર સર્વેલન્સ, કન્ટેઇનમેન્ટ સર્વેલન્સ અને કોમ્બિંગ સર્વેલન્સ એમ ત્રણ સ્ટ્રેટજી અપનાવવામાં આવી હતી.
Sunday, May 19